વાંકાનેર તાલુકાના ગાંગીયાવદર ગામે પરિણીતાનો આપઘાત 

- text


દામ્પત્ય જીવનના બે વર્ષમાં જ ગળેફાંસો ખાઈ આપઘાત કરતા ડીવાયએસપી દ્વારા તપાસનો ધમધમાટ 

વાંકાનેર : વાંકાનેર તાલુકાના ગાંગીયાવદર ગામે રહેતા પરિણીતાએ બે વર્ષના દામ્પત્યજીવનમાં જ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘેર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી છે અને સમગ્ર મામલે ડીવાયએસપી દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના ગાંગીયાવદર ગામે રહેતા મધુબેન જીતેશભાઇ લામકા ઉ.24 નામના પરિણીતાએ પોતાના ઘેર કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લેતા તેમના મૃતદેહને વાંકાનેર સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. મૃતક મધુબેનના બે વર્ષ પૂર્વે જ લગ્ન થયા હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે અને સમગ્ર મામલે પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી ડીવાયએસપી દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે.

- text

- text