મોરબીના આંગણે 12 અને 13મીએ ઇન્ડિયા જવેલરી શો : દેશના ટોચના 11 જવેલર્સ અફલાતૂન કલેક્શન મુકશે

 

કલાત્મક સોના અને ડાયમંડ જવેલરીનું ભવ્ય એક્ઝિબિશન :હવે ઘરેણાં ખરીદવા દૂર જવાની જરૂર નથી, દેશના ટોચના જવેલર્સ આપના શહેરમાં

મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : હવે ઘરેણાં ખરીદવા દૂર જવાની જરૂર નથી. દેશના ટોચના જવેલર્સ આપના શહેરમાં આવી રહ્યા છે. મોરબીમાં 12 અને 13મીએ ઇન્ડિયા જવેલરી શોનું આયોજન કરાયું છે. જ્યાં એકસાથે 11 ખ્યાતનામ જવેલર્સનો મેળાવડો જામવાનો છે. તો જરૂર પધારો.

મોરબીના શનાળા રોડ ઉપર સ્કાય મોલમાં આગામી તા.12 અને 13 ઓગસ્ટના રોજ કલાત્મક સોના અને ડાયમંડ જવેલરીનું ભવ્ય એક્ઝિબિશન ઇન્ડિયા જવેલરી શો યોજાવાનો છે. છેલ્લા 13 વર્ષથી કાર્યરત નમસ્તે ઇન્ડિયા કંપની દ્વારા દેશના વિવિધ શહેરોમાં આ પ્રકારના જવેલરી શોનું આયોજન કરવામાં આવે છે. તાજેતરમાં જ અહીં મોરબીમાં એક્ઝિબિશનનું સફળ આયોજન કરાયું હતું. લોકલાગણીને માન આપી ફરી મોરબીને આંગણે આ એક્ઝિબિશન આવ્યું છે.

આ જવેલરી શોમાં સી. મનસુખલાલ જવેલર્સ, જેવેલ પ્લસ, કલામંદિર, MBJ, શ્રી જનમંગલ જવેલર્સ, રત્નમ જવેલર્સ, ઋષભ જવેલ્સ, શાહ જયંતીલાલ એન્ડ સન્સ જવેલર્સ, વી.જી. જવેલર્સ, ઝીંઝુવાડિયા જવેલર્સ, પીના જવેલર્સ સહિતના દેશના ટોચના 11 જવેલર્સના સ્ટોલ હશે.

જેમાં એન્ટિક ગોલ્ડ જવેલરી, એક્સક્લુઝીવ પોલકી જવેલરી, એક્સક્લુઝીવ જડાઉ જવેલરી, ડાયમંડ જવેલરી, તમામ લેટેસ્ટ ડિઝાઇન જવેલરી, બ્રાઇડલ જવેલરી સહિતનું વિશાળ કલેક્શન હશે. મોરબીવાસીઓને ઘરઆંગણે એકથી એક ચડિયાતી જવેલરી મળી રહી હોય તો તેનો લાભ લેવાનું ચૂકશો નહિ. જવેલરી શોનો સમય સવારે 11થી રાતે 7:30 સુધી છે. તો જરૂર પધારો.