- text
મોરબી : આગામી જન્માષ્ટમીની ઉજવણીને લઈને મોરબીમાં હિન્દુ સંગઠનોની એક બેઠક આગામી તારીખ 30 જુલાઈ ને રવિવારના રોજ મળનાર છે. જેમાં જન્માષ્ટમીની ઉજવણીને લઈને ચર્ચા-વિચારણા કરવામાં આવશે. આ બેઠકમાં હિન્દુ સંગઠનોના આગેવાનોને ઉપસ્થિત રહેવા જણાવાયું છે.
દર વર્ષે મોરબીમાં હિન્દુ સંગઠનો દ્વારા ધામધૂમથી જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે આ વર્ષે પણ જન્માષ્ટમીની ઉજવણીનું આયોજન કરવાનું હોય આગામી તારીખ 30 જુલાઈ ને રવિવારના રોજ રાત્રે 9-30 કલાકે મોરબીના અયોધ્યાપુરી મેઈન રોડ પર આવેલા જલારામ મંદિર ખાતે એક અગત્યની બેઠક મળશે. જેમાં હિન્દુ સમાજના સંગઠનોના આગેવાનોને હાજરી આપવા અનુરોધ કરાયો છે.
- text
- text