કૃષ્ણ જન્માષ્ટમી ઉજવણી અનુસંધાને 30મીએ હિન્દુ સંગઠનોની મોરબીમાં બેઠક

- text


મોરબી : આગામી જન્માષ્ટમીની ઉજવણીને લઈને મોરબીમાં હિન્દુ સંગઠનોની એક બેઠક આગામી તારીખ 30 જુલાઈ ને રવિવારના રોજ મળનાર છે. જેમાં જન્માષ્ટમીની ઉજવણીને લઈને ચર્ચા-વિચારણા કરવામાં આવશે. આ બેઠકમાં હિન્દુ સંગઠનોના આગેવાનોને ઉપસ્થિત રહેવા જણાવાયું છે.

દર વર્ષે મોરબીમાં હિન્દુ સંગઠનો દ્વારા ધામધૂમથી જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે આ વર્ષે પણ જન્માષ્ટમીની ઉજવણીનું આયોજન કરવાનું હોય આગામી તારીખ 30 જુલાઈ ને રવિવારના રોજ રાત્રે 9-30 કલાકે મોરબીના અયોધ્યાપુરી મેઈન રોડ પર આવેલા જલારામ મંદિર ખાતે એક અગત્યની બેઠક મળશે. જેમાં હિન્દુ સમાજના સંગઠનોના આગેવાનોને હાજરી આપવા અનુરોધ કરાયો છે.

- text

- text