મોરબીના જવાહર નવોદય વિદ્યાલયમાં નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિ -2020 વિશે કોન્ફરન્સ યોજાઈ

- text


મોરબી : મોરબી જિલ્લામાં કોઠારિયા ગામમાં આવેલી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. 6 થી 10 વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે. આ સ્કુલમાં કૌશલ્ય વર્ધક અનેક કાર્યક્રમો યોજાતા હોય છે ત્યારે આ શાળામાં નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020 વિશે કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કોન્ફરન્સમાં પ્રાચાર્ય આર. કે. બોરોલેએ અને વિદ્યાર્થીઓએ પણ NEP-2020 ને લઈ કોન્ફરન્સ કરી હતી. જેમાં આ નીતિમાં શું શું જોગવાઈઓ છે તેની જાણકારી આપી હતી. સહ અભ્યાસિક પ્રવૃતિઓ, માતૃભાષાને પ્રાધાન્ય, વોકેશનલ એજ્યુકેશન,પૂર્વ પ્રાથમિક શિક્ષણ, સંશોધન, સમિક્ષાત્મક શિક્ષણ,સમસ્યા ઉકેલ કૌશલ્ય અસરકારક પ્રત્યાયન, જીવનલક્ષી શિક્ષણ, કલા અને રમતોની સામેલગીરી,અનેક વિષય પસંદગી અને પરીક્ષામાં લચીલાપણું, વગેરે નવી શિક્ષણનીતિનો ભાગ છે. આ બાબતોને મહતમ રીતે જવાહર નવોદય વિદ્યાલયમાં અમલી કરવાના પ્રયત્નો કરવામાં આવ્યા છે.

આ તકે પ્રાચાર્યએ જણાવેલ છે કે સ્કૂલમાં પૂરતો સ્ટાફ અને સુવિધાઓ ઉપલબ્ધ છે. વાલી મંડળનો પૂરતો સહયોગ આ સ્કૂલને મળ્યો છે. હાલ ધોરણ 6 માં પ્રવેશ હેતુ પરીક્ષાના ફોર્મ ભરવાના ચાલું છે. જે આગામી તા. 10 ઓગસ્ટ 2023 સુધી ઓનલાઈન સમીતીની વેબસાઈટ પર ભરાશે.તો મોરબી જિલ્લાના વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકોને પરીક્ષાનું ફોર્મ ભરવા અને ગુણવત્તાયુક્ત શિક્ષણનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

- text

- text