મોરબીમાં લાભ લક્ષ્મી એપાર્ટમેન્ટમાં શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનો પ્રારંભ

- text


મોરબી : મોરબીના શનાળા રોડ ઉપર નગા બસ સ્ટેન્ડની સામે લાભ લક્ષ્મી એપાર્ટમેન્ટમાં મહિલા મંડળ – ગોપી મંડળ દ્વારા આજથી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં દરરોજ બપોરે ૩ થી ૬ કલાક સુધી કથા શ્રવણ અર્થે પધારવા ભાવિકોને આમંત્રણ અપાયું છે.

- text

આ કથાનો વિરામ તા.૩૦ના રોજ થશે. આ કથા દરમિયાન શ્રીમદ ભાગવત માહાત્મય, સાંખ્યો પદેશ, કપિલ પ્રાગટ્ય, નરસિંહ પ્રાગટ્ય, વામન પ્રાગટ્ય, શ્રી રામ જન્મ, શ્રીકૃષ્ણ જન્મ, ગોવર્ધન પૂજા, રૂક્ષ્મણી વિવાહ, શ્રી સુદામાચરિત્ર, પરીક્ષિત મોક્ષ જેવા પાવન પ્રસંગો ઉજવાશે. કથાના વક્તા તરીકે મોરબીના સુપ્રસિદ્ધ પ્રખર વિદ્વાન ભાગવતાચાર્ય શાસ્ત્રીજી શ્રી કૃષ્ણચંદ્ર દિલીપભાઈ દવે પોતાની આગવી શૈલીમાં કથાનું રસપાન કરાવી રહ્યા છે.

- text