- text
મોરબી : મોરબીના સામાકાંઠે આવેલા સોઓરડી વિસ્તારની શેરી નંબર 10માં રહેતા ધ્રુવરાજસિંહ અજયસિંહ જાડેજા ઉ.વ. 15 નામનો તરુણ આજે સવારે ઘરેથી નીકળી ગયા બાદ લાપતા બની ગયો હતો. પરિવારજનોના જણાવ્યા મુજબ આ તરુણ વાંકાનેર રેલવે સ્ટેશનથી મળી આવ્યો છે. વધુમાં તેમના પરિવારજનોએ તરુણને શોધવા માટે જહેમત ઉઠાવનાર તમામનો આભાર માન્યો છે.
- text
- text