જલારામ મંદિરે સ્વ.શારદાબેન ધનજીભાઈ શેરસીયાના સ્મરણાર્થે મહાપ્રસાદ યોજાયો

- text


મોરબી : મોરબીના જલારામ પ્રાર્થના મંદિર ખાતે દરરોજ બપોરના અને સાંજના મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે ત્યારે મોરબીના મીનાબેન જલ્પેન્દ્રભાઈ કાવરના માતા સ્વ. શારદાબેન ધનજીભાઈ શેરસીયાનું અવસાન થતા તેમના સ્મરણાર્થે સદાવ્રતમાં મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યમાં મીનાબેન કાવર, જમાઈ જલ્પેન્દ્રભાઈ મગનભાઈ કાવર, ભાણેજ પ્રાચીબેન જલ્પેન્દ્રભાઈ કાવર સહીતના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે જલારામ પ્રાર્થના મંદિરના ગીરીશભાઇ ઘેલાણી, નિર્મિતભાઈ કક્કડ, ભાવિનભાઈ ઘેલાણી, ચિરાગભાઈ રાચ્છ સહીતના અગ્રણીઓએ સદગતને શ્રધ્ધાંજલી પાઠવી હતી.

- text

- text