વાંકાનેર : જૈન શ્રેષ્ઠી લલીતભાઈ મહેતાનુ નિધન

- text


 

વાંકાનેર : વાંકાનેર ખાતે રહેતા લલીતભાઈ અમૃતલાલ મહેતા (ઉ.વ.૮૬)નુ ટુંકી બિમારીના કારણે આજે મોડી સાંજે અવસાન થયુ છે. લલીતભાઈ સંઘના ચુસ્ત કાર્યકર હતા. રાજ્યસભાના સાંસદ પદે રહી ચુકયા છે. રાજકોટ નાગરીક બેંકના પૂર્વ એમ.ડી. તરીકે સેવા આપી ચુકયા છે. વીવીપી એન્જિનીયરીંગ કોલેજના મેનેજીંગ ટ્રસ્ટી તરીકે કાર્યરત હતા. તેમજ વાંકાનેર ખાતે દેવદયા ચેરીટેબલ ટ્રસ્ટ હેઠળ આંખની હોસ્પિટલ તેમજ ગૌશાળા સંચાલન કરતા હતા. લલીતભાઈ મહેતાની તા.૯ ને રવિવારે સવારે ૧૦.૩૦ કલાકે તેમના નિવાસ સ્થાન
“શ્રાવસ્તી” , દિવાનપરા, જૈન ભોજન શાળાની બાજુમાંથી અંતિમયાત્રા નીકળશે.

- text

- text