ટંકારામા જાગરણની રાત્રે ટીખળખોરોએ કપીરાજ મૂર્તિ ચોક વચ્ચે ગોઠવી ડરનો માહોલ સર્જ્યો 

- text


ટંકારા : ટંકારામા ગઈકાલે જાગરણના દિવસે કોઈ અજાણ્યા ત્રણ શખ્સોએ ઉગમણા નાકાના ધરાશાયી થયેલ ગેઈટની ખંડિત કપીરાજની મુર્તિને લાલ કપડું, ગુલાલ છાંટી વજેરી પાસે મેઈન રસ્તા વચ્ચો વચ્ચ બેસાડી ડરનો માહોલ ઉભો કરતા લોકોમાં ચકચાર મચી ગઇ હતી.

પ્રાપ્ત વિગતો મુજબ બુધવારે જયાપર્વતી વ્રતના જાગરણના દિવસે ટિખળખોરોએ લોકોને ડરાવવા માટે ઉગમણા નાકે તૂટી પડેલા પ્રવેશદ્વારની ખંડિત થયેલ કપિરાજની મૂર્તિ ચોકમાં વચ્ચે ગોઠવી ખેલ કર્યાનું સામાજિક કાર્યકર હેમંતભાઈ ચાવડાએ જણાવ્યું હતું. વધુમાં હેમંતભાઈએ જણાવ્યું હતું કે, બાઈક લઈને આવતા જોઈ આ ત્રણેક ઈસમો અંધારામાં ગાયબ થઈ ગયાં હતા. ઘણી શોધખોળ કરી પણ મળ્યા નહિ. જો કે, આજુબાજુ વાળા જાગી જતા તેની મદદ લઈ મહા મહેનતે ખૂબ જ વજનદાર આ મુર્તિ ચાર જણાએ થઈ ઊંચકીને પડેલા ગેટના અર્ધા પીલર પર બિરાજમાન કરી હતી.

- text

રાત્રે કોઈ વ્યક્તિ ડરી જાય એવુ બિહામણું સ્વરૂપ લાગતું હતું. ઉલ્લેખનીય છે કે ટંકારા ગેઈટ ધરાશાયી થયાને મહિના વિતી ગયા હોવા છતાં પંચાયતે કાટમાળને હટાવવાની જહેમત પણ લીધી ન હતી. ત્યારે હવે આ ટુટેલા બેલા તાકીદે દૂર કરવા માટે લોકમાંગ ઉઠવા પામી છે.

- text