ઝૂંપડપટ્ટીના બાળકોને નાસ્તો કરાવી જન્મદિવસની ઉજવણી કરતા અનસ્ટોપેબલ વોરિયર ગ્રુપના સભ્ય

- text


મોરબી : મોરબીમાં સેવાકીયની જ્યોત પ્રજ્વલિત અને પ્રચલિત કરતા અનસ્ટોપેબલ વોરીયર ગ્રુપના સભ્ય તથા મોરબીમાં છેલ્લા સાતેક વર્ષથી ટ્રાફિક બ્રિગેડમાં ફરજ બજાવતા ભારતીબેન મગનભાઈ હમીરપરાએ આજે તેમના જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરી હતી.

આજ જન્મદિવસના અવસરે ટ્રાફિક બ્રિગેડમાં ફરજ બજાવતા ભારતીબેન મગનભાઈ હમીરપરાએ મોરબીના સર્કીટ હાઉસ, અગ્નનેશ્વર મહાદેવ મંદિર, મયુર બ્રિજ નીચેની તથા નવલખી ફાટક પાસે આવેલ ઝુંપડપટ્ટીમાં રહેતા બાળકોને નાસ્તો કરાવ્યો હતો અને બાળકોના ચહેરા પર આનંદ જોઈ ભારતીબેને જન્મદિવસની સાર્થક રીતે ઉજવણી કરી હતી. આ સેવાકાર્યણાં અનસ્ટોપેબલ વોરીયર ગ્રુપના પ્રમુખ હેતલબેન પટેલ સહિત ગ્રુપના સભ્યો જોડાયા હતા.

- text

- text