મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી પદે નરેન્દ્રસિંહ ઝાલાની વરણીને ચોમેરથી આવકાર 

- text


મોરબી : આગામી લોકસભા ચૂંટણી પૂર્વે ભારતીય જનતા પાર્ટી દ્વારા સંગઠન માળખું મજબૂત કરવા નવી નિમણૂકની દૌર શરૂ કર્યો છે ત્યારે મોરબી જિલ્લા ભાજપ દ્વારા સંગઠનના વિવિધ હોદાઓ ઉપર નિમણુંક આપવામાં આવી છે જેમાં મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી પદે પંચાસરના વતની અને પક્ષને વફાદાર એવા નરેન્દ્રસિંહ ઝાલાની મહામંત્રી પદે નિમણુંક કરવામાં આવતા ચોમેરથી શુભકામનાઓનો ધોધ વહી રહ્યો છે.

મોરબીના પંચાસર ગામના વતની નરેન્દ્રસિંહ ઝાલા અને તેમનો પરિવાર સામાન્ય નાગરિકો – મતદારો માટે સતત દોડતા રહેતા હોય ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ અને સંગઠન મહામંત્રી રત્નાકરજી દ્વારા પંચાસરના વતની નરેન્દ્રસિંહ નાથુભા ઝાલાની જિલ્લા સંગઠનમાં મહામંત્રી તરીકે પસંદગી કરી લોકસભા ચૂંટણી પૂર્વે સંગઠનમાં મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે જિલ્લા ભાજપ મહામંત્રી નરેન્દ્રસિંહ ઝાલાના પિતા નાથુભા પ્રભાતસિંહ ઝાલા, તેમના ભાઈ વિક્રમસિંહ નાથુભા ઝાલા અને તેમના ભાભી મીનાબા વિક્રમસિંહ ઝાલા છેલ્લા લાંબા સમયથી મોરબી તાલુકા પંચાયતની બેઠક ઉપર સતત વિજેતા બની લોકોના વિશ્વાસ ઉપર ખરા ઉતરી રહ્યા છે અને નરેન્દ્રસિંહ ઝાલા પણ અગાઉ વિજેતા બની લોકચાહનાની સાક્ષી પુરી રહ્યા છે.

- text

ભાજપને સમર્પિત ઝાલા પરિવારના નરેન્દ્રસિંહ ઝાલાના ભત્રીજા રાજમહેન્દ્રસિંહ ગંભીરસિંહ ઝાલા છેલ્લી બે ટર્મથી પંચાસર ગ્રામ પંચાયતના સરપંચ તરીકે બિનહરીફ ચૂંટાઈ આવે છે ત્યારે નરેન્દ્રસિંહ નાથુભા ઝાલાને ભારતીય જનતા પાર્ટી મોરબી જિલ્લા સંગઠનમાં મહામંત્રીની જવાબદારી સોંપવામાં આવતા મિત્રો, સ્નેહીજનો અને ભાજપ અગ્રણીઓ દ્વારા તેઓને રૂબરૂ તેમજ મોબાઈલ નંબર 98252 25000 ઉપર શુભકામનાઓનો વરસાદ વરસી રહ્યો છે.

- text