વાંકાનેર કુબાપીઠ ખાતે ગુરૂ પૂર્ણિમા ઉત્સવની ઉજવણી કરાશે

- text


મોરબી : મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં આવેલા રઘુનાથજી મંદિર લાલજી મહારાજનું ગુરૂ સ્થાન શ્રી કુબાપીઠ ખાતે તા. 3ને સોમવારે સવારે 9 કલાકે પ. પુ.મહંત શ્રી 1008 છબીરામદાસજી મહારાજના આર્શીવાદથી ગુરૂ પૂર્ણિમા મહોત્સવની ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં તા. 2ના રાત્રીના 8:30 કલાકે ધુન અને ભજનના કાર્યક્રમ યોજાશે તેમજ તા. 3ના સવારે 9 કલાકે ગુરૂ પુજન અને બપોરના 11:30 કલાકે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહાપ્રસાદ સ્વ. માવજીભાઈ ભગવાનભાઈ ફેફરના શ્રેયાર્થે હસ્તે રમેશભાઈ, અશોકભાઈ, નરશીભાઈ તથા તેમના પરિવાર દ્વારા રાખવામાં આવ્યો છે. વાંકાનેર તેમજ આસપાસની ધર્મપ્રિય જનતાને આ ગુરૂપૂર્ણિમા ઉત્સવનો લાભ લેવા સંસ્થા દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text

- text