મોરબી : અનસ્ટોપેબલ વોરીયર ગ્રુપે ઝુંપડપટ્ટીના બાળકોને ભોજન કરાવ્યું 

- text


મોરબી : મોરબીના અનસ્ટોપેબલ વોરીયર ગ્રુપ દ્વારા અષાઢી બીજની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં તેઓએ નવલખી ફાટક પાસે આવેલી ઝુંપડપટ્ટી, પંચમુખી હનુમાન મંદિર પાછળ આવેલી ઝુંપડપટ્ટી તેમજ શંકર આશ્રમ પાસે આવેલા વૃધ્ધાશ્રમમાં ભોજન કરાવ્યું હતું. આ સેવા કાર્યમાં અનસ્ટોપેબલ વોરીયર ગૃપના પ્રમુખ હેતલબેન પટેલ તેમજ ગૃપના અન્ય સભ્યો જોડાયા હતા.

- text

- text