મોરબીના રામધન આશ્રમ ખાતે આષાઢી બીજ મહોત્સવ ઉજવાયો

- text


મોરબી : ગઈકાલે તારીખ 20 જૂનના રોજ અષાઢી બીજના પાવન દિવસે મોરબીના રામધન આશ્રમ ખાતે રામદેવપીરનો પાટ, ભજન અને ભોજનનો કાર્યક્રમ ભવ્યાતિભવ્ય રીતે ઉજવાયો હતો.

અષાઢી બીજના દિવસે રામધન આશ્રમ ખાતે અનેક લોકોએ દર્શનનો લાભ લીધો હતો. મહંત ભાવેશ્વરી માના સાનિધ્યમાં સવારે યજ્ઞ, નેજા ઉત્સવ, સાંજે પ્રસાદ, પાટ તેમજ ભજનનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં જયંતીભાઈ, ચુનીભાઈ, ત્રિભોવનભાઈ, કેશુભાઈ, દેવકરણભાઈ, દિલીપભાઈ, ગીરીશભાઈ ઘેલાણી, અજયભાઈ સહિતના અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં રત્નેશ્વરીબેને માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા આશ્રમના સેવકોએ જહેમત ઉઠાવી હતી.

- text

- text