વાવાઝોડા સમયે હેક્વોર્ટર છોડનાર ચંદ્રગઢ તલાટીમંત્રીને ફરજ મોકુફ કરાયા

- text


સ્પષ્ટ સુચના છતા અન અઘિકૃત ગેરહાજરી બદલ જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી. જાડેજાએ ફરજ મોકુફ કરી ખાતાકીય તપાસ શરૂ કરાવી

મોરબી : મોરબીમાં કાયમી અપડાઉન કરતા અને ઉપરી અધિકારીનો આદેશ નહિ માનતા સરકારી કર્મચારી માટે કડક નિર્ણય રૂપે જિલ્લા વિકાસ અધિકારીએ બીપરજોય વાવાઝોડા સમયે હેડ ક્વાર્ટરમા હાજર નહિ રહેનાર મહિલા તલાટીને ફરજ મોકૂફ કરી તપાસનો આદેશ આપતા કર્મચારીઓમાં સોપો પડી ગયો છે.

- text

મોરબી જિલ્લામાં બિપોરજોય વાવાઝોડાની સંભાવના હોવાના કારણે જિલ્લા પંચાયત કચેરી, મોરબી હસ્તકના તમામ અઘિકારી, કર્મચારીઓને હેડ કવાર્ટરમાં હાજર રહેવા અને તાકીદના સમયે સ્ટેન્ડ બાય રહેવા મોરબી જિલ્લા વિકાસ અઘિકારી ડી.ડી. જાડેજા દ્વારા સ્પષ્ટ સુચના આપવામાં આવી હતી. તેમ છતા હળવદ તાલુકાના ચંદ્રગઢ ગામના તલાટી કમ-મંત્રી બી.એ. પટેલ હેડકવાર્ટર ખાતે કોઇ પરવાનગી મેળવ્યા વગર ગેરહાજર રહ્યા હોવાનું જિલ્લા વિકાસ અઘિકારી ડી.ડી. જાડેજાના ઘ્યાને આવતા બિપોરજોય વાવાઝોડા જેવી ગંભીર પરિસ્થિતિ દરમિયાન બી.એ.પટેલની ફરજમાં અન અઘિકૃત ગેરહાજરી બદલ તેઓને ફરજ મોફુફી હેઠળ મુકવાનો જિલ્લા વિકાસ અઘિકારી દ્રારા આદેશ કરવામાં આવ્યો છે. આ બાબતે ખાતાકીય તપાસ હાથ ઘરવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો છે.

- text