ટંકારાના હમીરપર ગામે રામદેવપીર મંદિરે પ્રથમ પાટોત્સવની ઉજવણી સંપન્ન

- text


ટંકારા : ટંકારા તાલુકાના હમીરપર ગામમાં રામદેવપીર મંદિર- અલખધણી આશ્રમ ખાતે રામદેવપીર મહારાજના પ્રથમ પાટોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. પાટોત્સવની ઉજવણીમાં સમસ્ત હમીરપર ગામના લોકોએ મહાપ્રસાદ લીધો હતો. તેમજ સાંજના ૯ થી ૧ વાગ્યા સુધી મોરબી રામધન આશ્રમના રત્નેશ્વરીબેન ગુરુ ભાવેશ્વરીમાં એ સંગીતમય શૈલીમાં પોતાની અમૃતવાણીમાં સત્સંગ કરાવ્યો હતો.

અલખધણી આશ્રમ દ્વારા દર બીજના અવસર ઉપર બટુક ભોજન, ભજન કીર્તન, પક્ષીઓનો નિભાવ ચણ તેમજ યાત્રિકો માટે ચા-પાણી તેમજ રહેવાની સુવિધા કરવામાં આવે છે. ત્યારે આ પાટોત્સવની ઉજવણીમાં સમગ્ર હમીરપર ગામના લોકોએ સહકાર આપ્યો તે બદલ રામદેવપીર મંદિરના પુજારી જયંતિભાઈ રાઠોડે ગામના લોકોનો આભાર માન્યો હતો. તેમ મુકેશભાઈ ભગતની યાદીમાં જણાવાયુ છે.

- text

- text