મોરબીમાં અદ્યતન સિંચાઈ સદન બનાવવા ધારાસભ્ય કાંતિલાલની રજુઆત

- text


મોરબી : મોરબી જિલ્લાના ખેડૂતોની સુવિધા માટે મોરબીમાં અધતન નમૂનારૂપ સિંચાઈ સદન બનાવવા મોરબી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ સરકારમાં રજૂઆત કરી ખેડૂતોની વર્ષો જૂની માંગ સંતોષવા રજુઆત કરી છે.

ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ સરકારમાં રજુઆત કરતા જણાવ્યું છે કે, મોરબી જિલ્લામાં 10 જેટલા ડેમ આવેલ છે. નર્મદા યોજનાની ત્રણ બ્રાન્ચ કેનાલો આવેલી છે ઉપરાંત નાની સિંચાઈ તથા સિંચાઈ યોજનાની અનેક કચેરીઓ કાર્યરત છે જે અલગ અલગ જગ્યાઓમાં આવેલી છે. જેથી જિલ્લાના સિંચાઈ સુવિધા મેળવતા ખેડૂતો-લાભાર્થીઓને અલગ અલગ જગ્યાએ જવું પડે છે. આ સ્થિતિ નીવારવા મોરબી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ વર્ષ 2016-17 માં રજૂઆત કરેલ જેનો ઉલ્લેખનીય પ્રગતિ પણ થયેલ છે.

- text

વધુમાં મોરબીના સારા લોકેશનમાં આવેલી વજેપર માધાપર સર્વે નં. 1141 ની જમીન પર લાંબા સમયથી ભૂમાફિયાની નજર પડી છે તેમજ અનેક કાવા દાવા બાદ પણ જાગૃત નાગરિકો અને અધિકારીઓએ આવો કારસો નિષ્ફળ બનાવ્યો છે ત્યારે આ જગ્યાએ નવું અધતન એક જ જગ્યાએ સિંચાઈ વિભાગની તમામ કચેરીનો સમાવેશ થઈ જાય તેવું સિંચાઈ સદન બનાવવા મોરબી ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ રાજ્યના મુખ્યમંત્રી તેમજ સિંચાઈ મંત્રીશ્રીને રજૂઆત કરી છે.

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2016-17 ની રજૂઆતોના અનુસંધાનમાં મળેલ પત્રોની નકલ પણ આ રજુઆત સાથે સામેલ કરી ખેડૂતો માટે સદૈવ ચિંતા કરતા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ વધુ એક રજૂઆત કરી ખેડૂતોનો પ્રશ્ન ઉકેલવા માંગ ઉઠાવી છે.

- text