મોરબીના કવિએ રચેલા કાવ્ય સંગ્રહને અંજુ-નરશી પારિતોષિક એનાયત

- text


મોરબી : મોરબીના કવિ સંજય બાપોદરિયા ‘સંગી’ના બાળકાવ્યસંગ્રહ ‘પાંખ મળે તો…’ને બાળસાહિત્ય ક્ષેત્રે પ્રતિષ્ઠિત અંજુ-નરશી પારિતોષિક-2023 ઘોષિત કરવામાં આવ્યો છે.

બાળસાહિત્યના પ્રકાશિત પુસ્તકોમાંથી પ્રતિ બે વર્ષે ઉત્તમ કૃતિઓ પસંદ કરીને ‘અંજુ-નરશી પારિતોષિક’ આપવામાં આવે છે. વર્ષ 2021-22 દરમિયાન પ્રગટ થયેલાં બાળસાહિત્યના પુસ્તકોમાંથી આ પુરસ્કાર જાહેર કરવામાં આવેલ છે. જેમાં તૃતીય પારિતોષિક માટે મોરબીના કવિ સંજય બાપોદરિયા ‘સંગી’ ના બાળકાવ્યસંગ્રહ ‘પાંખ મળે તો…’ ની પારિતોષિક કમિટિના અધ્યક્ષ રવજીભાઈ ગાબાણી દ્વારા ઘોષણા થતાં મોરબી સાહિત્ય વર્તુળમાં ખુશીનો માહોલ સર્જાયો છે અને કવિને આ સિદ્ધિ બદલ શુભેચ્છાઓ અને અભિનંદન મળી રહ્યા છે.

- text

- text