- text
મોરબી : મોરબીમાં વિશ્વ સંવાદ કેન્દ્રની આગવી પરંપરા અનુસાર દેવર્ષિ નારદ જયંતિ નિમિત્તે તા.21મે ને રવિવારે રાત્રે 9 કલાકે સંઘ કાર્યાલય, કેશવ કુંજ, ચિત્રકૂટ સોસાયટી ચોક, કન્યા છાત્રાલય રોડ, મોરબી ખાતે પત્રકાર મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં વક્તા તરીકે સેવા ભારતી ગુજરાત પ્રાંતના કિશોરભાઈ મુંગલપરા ઉપસ્થિત રહેશે. મોરબી જિલ્લાના તમામ પત્રકારોને આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે વિશ્વ સંવાદ કેન્દ્ર દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ કાર્યક્રમ અંગેની વધુ માહિતી મેળવવા માટે વિષ્ણુભાઈ વિડજા- 9879450265 તેમજ રાજેશ બદ્રડિયા- 9825421031નો સંપર્ક કરવાનો રહેશે.
- text
- text