મોરબી જિલ્લામાં ભાજપના નવા પ્રભારી તરીકે ડો. હિતેશભાઈ ચૌધરીની વરણી

- text


મોરબી : ભાજપના ઉચ્ચ મોવડી મંડળ દ્વારા જિલ્લાના ભાજપના માળખા ધરખમ ફેરફાર કરવામાં આવ્યા છે. જેમાં મોરબી જિલ્લા ભાજપના નવા પ્રભારી તરીકે ડો. હિતેશભાઈ ચૌધરીની વરણી કરવામાં આવી છે.

ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ દ્વારા જિલ્લા અને મહાનગરના ભાજપના નવા પ્રભારીની નિયુક્તિ કરવામાં આવી છે. જેમાં રાજ્યના દરેક જિલ્લા અને મહાનગરમાં ભાજપના નવા પ્રભારી મંત્રીની વરણી કરવામાં આવી છે. ત્યારે મોરબી જિલ્લા ભાજપના નવા પ્રભારી મંત્રી તરીકે ડો. હિતેશભાઈ પ્રેમજીભાઈ ચૌધરીની વરણી કરવામાં આવી છે. તેથી આ નવા પ્રભારી મંત્રીને ચોમેરથી શુભેચ્છાઓ મળી રહી છે.

- text

- text