ગુજરાત રાજપૂત કરણી સેનાના મોરબી જિલ્લા પ્રભારીની નિમણૂક

- text


મોરબી : ગુજરાત રાજપૂત કરણી સેનાના મોરબી જિલ્લા પ્રભારી તરીકે હળવદના વતની દિગુભા ઝાલા એંજારની નિમણૂક કરવામાં આવી છે.

ગુજરાત રાજપૂત કરણી સેના પ્રદેશ અધ્યક્ષ વી.એસ. જાડેજા તેમજ જિલ્લા પ્રમુખ મનોજસિંહ જાડેજાની અધ્યક્ષતામાં હળવદ તાલુકા ભાજપના પૂર્વ મહામંત્રી તેમજ હળવદ તાલુકા પંચાયતના પુર્વ સદસ્ય અને હળવદ ધાંગધ્રા ક્ષત્રિય સમાજના અગ્રણી એવા હળવદ નિવાસી દિગુભા ઝાલા એંજારની રાજપૂત કરણી સેનાના મોરબી જિલ્લાના પ્રભારી તરીકે નિમણૂક કરાઈ છે. ત્યારે સમગ્ર કરણી સેના પરિવાર દ્વારા દિગુભા ઝાલાને અભિનંદન પાઠવવામાં આવ્યા છે અને હર હંમેશ સમાજ માટે ઉપયોગી બનો તેવી પ્રાર્થના કરાઈ છે.

- text

- text