મોરબીમાં એન્સ્ટોપેબલ વોરિયર્સ આયોજિત સમૂહ લગ્નમાં 4 યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા

- text


સંત દામજી ભગત, અવધ કિશોરજી, પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજાએ નવયુગલોને આશીર્વાદ આપ્યા

મોરબી : મોરબીના એન્સ્ટોપેબલ વોરિયર્સ દ્વારા પહેલી વખત રામેશ્વર પાર્ટી પ્લોટ ખાતે સર્વ જ્ઞાતિય સમૂહ લગ્ન યોજવામાં આવ્યા હતા. જેમાં જરૂરિયાતમંદ ચાર દીકરીઓના લગ્ન કરાવવામાં આવ્યા હતા.

મોરબી રહેવાસી ભાવેશ્વરી અરજણભાઈ પરમારના લગ્ન બહાદુરગઢ નિવાસી અજીત બચુભાઈ ગોહેલ સાથે જેતપર નિવાસી રેખાબેન મનસુખભાઈ પરમારના લગ્ન લાલપરના કેતન દિનેશભાઈ સોલંકી સાથે જેતપર નિવાસી ગીતાબેન ડાયાભાઈ પરમારના લગ્ન લક્ષમીનગર નિવાસી દીપકભાઈ મોહનભાઈ ભંખોડીયા સાથે તેમજ શકત શનાળા નિવાસી ડિમ્પલબેન શિવાભાઈ રાઠોડના લગ્ન ઘુંનડા (સ) ના વિજયભાઈ રતિલાલ ચૌહાણ સાથે બેન્ડ વાજા ઢોલ ત્રાંસાના તાલે શાસ્ત્રોક્ત વિધિથી સર્વજ્ઞાતિય સમૂહ લગ્નનું ભવ્ય અને દિવ્ય આયોજન થયું હતું.

જેમાં નવ દંપતિને આશીર્વાદ પાઠવવા સંત દામજી ભગત સંત અવધ કિશોરજી તેમજ ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા વગેરે ઉપસ્થિત રહ્યા હતા આ ત્રણેય મહાનુભાવોએ હેતલબેન આંખજા અને એન્સ્ટોપેબલ વોરિયર્સ સમગ્ર ટીમને આવા સુંદર સેવાકાર્ય કરવા બદલ શુભેચ્છા આપી હતી અને પ્રેરણા પુરી પાડી હતી.

- text

- text