સમલૈંગિક લગ્નની મંજુરીના વિરોધમાં પરશુરામ ગ્રુપ આગ બબુલા ! આવેદન અપાયું

- text


સમસ્ત બ્રહ્મસમાજ અને પરશુરામ યુવા ગ્રુપ દ્વારા કલેકટરને આવેદન પાઠવાયુ

મોરબી :મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ અને પરશુરામ યુવા ગ્રુપ દ્વારા સમલૈંગિક લગ્નની મંજુરીના વિરોધમાં આવેદન પત્ર આપવામાં આવ્યું છે.

મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ અને પરશુરામ યુવા ગ્રુપ દ્વારા સમલૈંગિક લગ્ન ની મંજુરીના વિરોધમાં મોરબી કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું છે. આ તકે મોરબી જિલ્લા બ્રહ્મસમાજના મહામંત્રી ચિંતનભાઈ ભટ્ટ અને નિરજભાઈ ભટ્ટ, પરશુરામ યુવા ગ્રુપના પ્રમુખ અતુલભાઈ જોષી સાથે મહિધરભાઈ દવે, કમલભાઈ દવે, પ્રણવભાઈ ત્રિવેદી, ધર્મભાઈ રાવલ, રોહિતભાઈ પંડ્યા, વિજયભાઈ રાવલ સહિતના આગેવાનો જોડાયા હતા.

આવેદનપત્ર પાઠવીને જણાવ્યું હતું કે, લગ્ન એક પ્રાચીન સંસ્થા છે તમામ ધર્મોના સમાજોએ તેની માન્યતા અને અનુભવોના આધારે લગ્ન અને કુટુંબની આ સ્થાપના કરી તેના નિયમો બનવી સુવ્યવસ્થિત સંસ્કારી સમાજ માટે લગ્ન અને કુટુંબની આ સંસ્થાનું પોષણ કર્યું છે. જેમાં લાંબા સમયથી ચાલતી આ લગ્ન પરિવારીક સંસ્થાની વિભાવના ફરજ કાયદો વગેરે દ્રઢપણે સ્થાપિત કરવમાં આવ્યા છે. લગ્ન સંસ્થામાં સુધારાનું કામ લોકસભા વિધાનસભાઓ પર છોડી દેવામાં આવે તો સારું રહેશે. તથા સુપ્રિમ કોર્ટે આ મુદ્દા પર વિચાર કરતી વખતે ધાર્મિક નેતાઓ, શાસ્ત્રીય વિદ્વાનો અને ભારતીય સમાજનું પ્રતિનિધિત્વ કરતા અન્ય વર્ગોને પણ સાંભળવું જોઈએ આ માટે ન્યાયિક તપાસ કરવા સીટની રચના કરવી અને દેશભરમાં જઈને આ વિષય પર દરેક સમાજનો અભિપ્રાય જાણતો અને તેનો સર્વે કરવો જરૂરી છે અને સરકારને પણ વિનંતી કરીએ છીએ કે, તેમને આ બાબતે તેમનો પક્ષ રજૂ કરવાની તક આપવામાં આવે. તેમજ તેમની સુનાવણી માટે સમય આપો પછી જ નિર્ણય લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

- text

- text