ટંકારાના હરીઓમ નગરના બાલાજી મંદિરનો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે

- text


ટંકારા : ટંકારાના હરીઓમ નગર ખાતે આવેલા હરીઓમ બાલાજીના નવનિર્મિત મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા તથા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તારીખ 10 અને 11 મેના રોજ દિવ્યાતિ દિવ્ય તથા ભવ્યાતિ ભવ્ય રીતે ઉજવાશે.

હરીઓમ બાલાજી મંદિરના મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે આજે તારીખ 10 મેના રોજ સાંજે 9-30 કલાકે જબલપુર ધુન મંડળી દ્વારા સુંદરકાંડના પાઠ યોજાશે. જ્યારે સાંજે 5 કલાકે સાવડી ધુન મંડળી દ્વારા હનુમાન દાદાના સામૈયા થશે. આવતીકાલે તારીખ 11 મેના રોજ વિવિધ ધાર્મિક પ્રસંગો યોજાશે અને મૂર્તિ પ્રતિષ્ઠા કરવામાં આવશે. મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠાના યજમાન પદે મનસુખભાઈ પ્રેમજીભાઈ ગોસરા, શિખરના યજમાન તરીકે રવિકુમાર નાનજીભાઈ મેરજા અને ધ્વજાજી તથા ઘંટના યજમાન પદે ભગીરથસિંહ રૂપસિંહ ઝાલા છે. યજ્ઞના આચાર્ય પદે આચાર્ય વિપુલ બી. ત્રિવેદી (પડધરીવાળા) અને ઉપાચાર્ય પદે નવલભાઈ દવે (સાવડીવાળા) બિરાજશે. આવતીકાલે 11 મેના રોજ બપોરે 11-30 કલાકે હરીઓમ ગરબી મંડળ ચોક, ટંકારા ખાતે મહાપ્રસાદનું આયોજન કરાયું છે.

- text

- text