પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજના પ્રયાસોથી મોરબીના 3 ગામનો 25 વર્ષ જૂનો મહેસૂલી પ્રશ્ન ઉકેલાયો

- text


વર્ષો જૂના પ્રશ્નના નિકાલ માટે અગત્યની ભૂમિકા ભજવનાર પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાનો ગ્રામજનોએ આભાર વ્યકત કર્યો

મોરબીઃ મોરબી તાલુકાનાં જૂના–નવા સાદૂળકા સાથે મહેસૂલી દફ્તરથી જોડાયેલા ભરતનગર, લક્ષ્મીનગર અને અમરનગર ગામનો રેવન્યુ રકબો અલગ કરી મહેસૂલી ગામો જાહેર કરવાનો પ્રશ્ન ૨૫ વર્ષથી પડતર હતો. આ ત્રણેય ગામના આગેવાનોએ મોરબીના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત સરકારના પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા સમક્ષ રજૂઆત કરતાં વર્ષો જૂનો આ જટીલ પ્રશ્ન તેમણે પોતાની વહીવટ સુઝ અને કામ પાર પાડવા સતત ફોલોઅપ લેતા ભાજપ સરકારના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે આ બાબતે મંજૂરી આપતા આ પ્રશ્ન ઉલેકાયો છે. બ્રિજેશભાઈ મેરજાએ આ કામનો શ્રેય તાલુકા -જિલ્લા ભાજપ પ્રમુખ, સાંસદ ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ તેમજ મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આપ્યો છે.

- text

બ્રિજેશભાઈ મેરજાએ જણાવ્યું હતું કે, આ પ્રશ્નના નિરાકરણનો સમગ્ર શ્રેય તેમણે ભાજપ સંગઠન અને સરકારને આપ્યો છે પોતે માત્ર નિમિત છે. આમ, ૨૫ વર્ષ જૂનો જટીલ પ્રશ્ન ઉકેલાયો એ જ મોટી ઉપલબ્ધી છે જેનો મને ભારે મોટો સંતોષ છે. લોકોની વર્ષો જૂની લાગણી આ રીતે ઉકેલવામાં માન. મુખ્યમંત્રીએ ખાસ નિર્ણય લીધો છે. સાથે વહીવટી તંત્રનો હકારાત્મક સહયોગ તેમજ ગ્રામ આગેવાનોની સમજદારી પણ સરાહનીય છે. ૨૫ વર્ષ જૂનો આ પ્રશ્ન ઉકેલાતા ભરતનગર, લક્ષ્મીનગર અને અમરનગર ગામના લોકોએ બ્રિજેશ મેરજાને અભિનંદન આપી આભાર વ્યક્ત કર્યો હતો. તેના પ્રતિભાવમાં નમ્રભાવે તેમણે કહ્યું કે, મોરબીના ૩ ગામોનો ૨૫ વર્ષ જૂનો મહેસૂલી પ્રશ્ન ઉકેલી મેં માત્ર મારુ કર્તવ્ય નિભાવ્યું છે. પ્રજાના કામો આ રીતે કરતાં રહેવાની નિષ્ઠા તેમણે વ્યક્ત કરી છે. અત્રે ઉલ્લેખનીય રહેશે કે બ્રિજેશભાઈ મેરજા હાલ કર્ણાટક વિધાન સભાની ચૂંટણીમાં છેલ્લા ૧૦ દિવસથી વ્યસ્ત છે ત્યાંથી તેમને ૩ ગામોના આગેવાનોએ વ્યક્ત કરેલ આભારનો નમ્ર પ્રતિભાવ પાઠવ્યો છે.

- text