લીલાપર પ્રા. શાળાના મદદનીશ શિક્ષક સુરેશભાઈ ભટ્ટને ભાવભેર અપાઈ વિદાય  

- text


મોરબી : લીલાપર પ્રાથમિક શાળાના મદદનીશ શિક્ષક સુરેશભાઈ ધીરજલાલ ભટ્ટની વય નિવૃત્તિનો કાર્યક્રમ લીલાપર મુકામે યોજાયો હતો. જેમાં ટંકારા પડધરી વિસ્તારના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, લીલાપર ગામના સરપંચ તથા ગ્રામ પંચાયતના સભ્યો, માધ્યમિક શાળા તેમજ જુના લીલાપર શાળા શિક્ષકો અને લીલાપર શાળાના નિવૃત શિક્ષકો હાજર રહ્યા હતા.

જેમાં ધારાસભ્ય દુર્લભજીભાઈએ પોતાના પ્રાસંગિક ઉદબોધનમા શિક્ષક સુરેશભાઈ ભટ્ટની કાર્યપ્રણાલી તેમજ તેમના 29 વર્ષના કાર્યને ખૂબ બિરદાવ્યું હતું. શાળામાંથી વય નિવૃત્તિ લઈ રહેલા શિક્ષક સુરેશભાઈએ પણ પોતાની વાતમાં શાળાના સ્ટાફ તેમજ શાળાના બાળકો પ્રત્યેનો તેમનો પ્રેમભાવ પ્રગટ કર્યો હતો.આ કાર્યક્રમને સફળ બનાવવા માટે લીલાપર શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ તેમજ શાળા પરિવારના સ્ટાફ મિત્રોએ ખૂબ જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમનું સફળ સંચાલન શૈલેષભાઈ ઝાલારિયાએ કર્યું હતું.

- text

- text