ડિટેઇન થયેલા વાહન અંગે પુરાવા રજૂ નહિ કરનારના વાહનોની હરરાજી થશે

- text


મોરબી : વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના રીપોર્ટ અનુસાર મોટર વ્હીકલ એક્ટની કલમ-૨૦૭ અન્વયે ૨૧ જેટલા બિનવારસી તેમજ બિનધણીયાતા મુદામાલનો યોગ્ય નિકાલ કરવાનો છે. જેથી આ મુદામાલ જે કોઇપણ શખ્સ પોતાનો હોવાનો દાવો ધરાવતા હોય, તેમણે ૩ માસની અંદર માલિકીના આધાર પુરાવા દસ્તાવેજ સાથે અત્રેની કોર્ટ, મામલતદાર અને એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટની કચેરી વાંકાનેર ખાતે અરજી કરવાની રહેશે.

- text

આ બિનવારસી મુદામાલના કોઇ માલિક રજુ નહીં થાય તો તમામ મુદામાલ સરકારશ્રીમા ખાલસા કરવામા આવશે. જેની દરેકે નોંધ લેવા એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ યુ.વી.કાનાણીની યાદીમાં જણાવાયું છે.

- text