મોરબીના શાસ્ત્રી વિપુલભાઈ શુક્લને લખનૌ જ્યોતિષ સંમેલનમાં વિશેષ આમંત્રણ

- text


મોરબી : આગામી તારીખ 23 એપ્રિલના રોજ ઉત્તર પ્રદેશના લખનૌમાં યોજાનાર રાષ્ટ્રીય જ્યોતિષ એવમ રૂદ્રાક્ષ અનુસંધાન સંસ્થાન ઉત્તર પ્રદેશ રાજ્ય સરકાર દ્વારા આયોજિત જ્યોતિષ સંમેલનમાં મોરબીના જાણીતા M.A. સંસ્કૃત આચાર્ય શાસ્ત્રી વિપુલભાઈ પી. શુક્લને અતિથિ-અભ્યાસ તરીકે વિશેષ આમંત્રણ મળ્યું છે. જે મોરબી જિલ્લા માટે ગર્વની બાબત છે.

મોરબીના વિપુલભાઈ શુક્લ આ સંમેલનમાં વૈદિક પંચાંગોનું એકીકરણ તથા તિથિ પર્વ સહિતના મુદ્દાઓ ઉપર વિસ્તૃત ચર્ચા કરશે. આ જ્યોતિષ સંમેલનમાં બ્રિજેશ પાઠક (ઉપમુખ્યમંત્રી ઉત્તરપ્રદેશ), કૌશલ કિશોર (કેન્દ્રીય મંત્રી), વિજય કુમાર (કુલપતિ, મહર્ષિ પાણીની સંસ્કૃત વિદ્યાલય ઉજ્જૈન), મહા મંડલેશ્વર મદન વ્યાશજી ઉજ્જૈન, ડો. અજય ભાંભીજી દિલ્હી, ડો, પંકજકુમાર ત્રિવેદી લખનઉ વિગેરે નામી જ્યોતિષીઓ ઉપરાંત ભારત વર્ષના વિદ્વાન આચાર્યો હાજર રહેશે.

- text

- text