- text
મોરબી : ઉનામાં ભડકાઉ ભાષણ મામલે જેલમાં બંધ કાજલ હિન્દુસ્તાનીને જામીન મળતા તેઓ જેલ મુક્ત થતાં મોરબી હિન્દુ યુવા વાહિની દ્વારા ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી હતી.
ગઈકાલે તારીખ 14 એપ્રિલ ને શુક્રવારના રોજ રાત્રે 10 વાગ્યે મોરબીના દરબારગઢ ચોકમાં હિન્દુ યુવા વાહિની દ્વારા ફટાકડા ફોડીને કાજલ હિન્દુસ્તાની જેલમુક્ત થતાં ઉજવણી કરવામાં આવી હતી. જેમાં હિન્દુ યુવા વાહિની મોરબી જિલ્લા પ્રમુખ કે.બી.બોરીચા સહિત અન્ય કાર્યકર ભાઈઓ હાજર રહ્યા હતા.
- text
- text