પ્રેરણાદાયી પહેલ: હળવદમાં ગૌમાતાના પાવન પગલાં કરાવી નવી રેસીડેન્સીનો પ્રારંભ

- text


હળવદ : આજે હળવદ શહેરના સરા રોડ ખાતે નિર્માણાધિન રેસીડેન્સીના શુભારંભ પહેલા સંચાલકોએ ગૌમાતાના પાવન પગલાં કરાવી અને લીલા ચારાની નીરણ કરી નિર્માણકાર્યનો પ્રારંભ કર્યો હતો.

ભારતીય સનાતન સંસ્કૃતિ પ્રમાણે નવી જગ્યા કે ગૃહ પ્રવેશ પહેલા ગૌમાતાની પધરામણી કરવાનો રિવાજ એ પરંપરાગત છે ત્યારે ગૌમાતામાં ૩૩ કરોડ દેવી દેવતાઓનો વાસ હોય અને ગૌમાતાને કામધેનુ પણ કહેવામાં આવે છે ત્યારે હળવદના સરા રોડ ખાતે પરમેશ્વર હોમ્સ-૨ના શુભારંભ સમયે ગૌમાતાના સમૂહ (ધણ)ની પધરામણી વેળાએ ત્યાં હાજર સૌને વાતાવરણમાં પવિત્રતા અને સકારાત્મકતા જોવા મળી હતી અને ગૌમાતાના ગળે બાંધી રાખેલ ઘૂઘરીના નાદથી આહ્લાદક વાતાવરણ બની રહેલ હતું.

આ રેસીડેન્સીના નિર્માતાઓએ જણાવ્યું હતું કે, આ પ્રથાનો ફાયદો એ છે કે, ગૌમાતાના પગલાં પડવાથી વાતાવરણમાં સકારાત્મકતા પ્રસરે છે અને તે જગ્યા પાવન બની જાય છે ત્યાં રહેવાવાળા સુખ શાંતિ પામે તેવી લોક વાયકા પણ છે ત્યારે આ પ્રકારે ગૌસેવા અને ભારતીય સંસ્કૃતિ પ્રમાણે શુભ કાર્ય થકી શુભારંભની પરંપરા આજના યુગમાં અન્યો માટે પ્રેરણારૂપ બની રહેશે.

- text

- text