મોરબીમાં 15મીએ લીમડાવાળા મામાદેવનો તૃતીય પાટોત્સવ 

- text


મોરબી : મોરબીના મુમનગરમાં 6-લાતી પ્લોટમાં આગામી તા 15ને શનિવારના રોજ લીમડાવાળા મામદેવના તૃતીય પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સવારે મામાદેવનો વીર પુરુષ યજ્ઞ, બપોરે 3:15 કલાકે શોભાયાત્રા, સાંજે 7:15 કલાકે મહાઆરતી અને સાંજે 7:45 કલાકે મહાપ્રસાદ યોજાશે. શોભાયાત્રાનો રૂટ મંદિરથી જુના બસ સ્ટેન્ડ, નહેરુ ગેઇટ, ગાંધી ચોક, વિશાલ સ્ટોર અને ત્યાથી પરત મંદિર સુધીનો રહેશે. આ ધાર્મિક કાર્યક્રમમાં પધારવા જાહેર આમંત્રણ અપાયું છે.

- text

- text