- text
મોરબી : મોરબીના લાતીપ્લોટના નાકે આવેલ મણીઘર હનુમાનજી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને 33 વર્ષ પૂર્ણ થતાં હોવાથી આગામી તા.6ના રોજ ગુરુવારે હનુમાનજી જયંતિ નિમિતે સુંદરકાંડ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શાસ્ત્રી આશિષભાઈ શુક્લ યજ્ઞવિધિ કરાવશે. તેંમજ ધ્વજારોહણ અને મહાપ્રસાદ પણ યોજાશે. જેમાં તા.6ના રોજ સાંજે સાત વાગ્યે કોમ્યુનિટી હોલ, સરદાર બાગ પાસે શનાળા રોડ મોરબી ખાતે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમોનો ધર્મપ્રેમી જનતાને લાભ લેવા અપીલ કરવામાં આવી છે.
- text
- text