વાઘપરના રોકડીયા હનુમાનજી મંદિરે હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી કરાશે

- text


મોરબી : મોરબીના વાઘપર ગામે રોકડીયા હનુમાનજી ટ્રસ્ટ તેમજ સંઘાણી પરીવાર દ્રારા હનુમાન જયંતિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. જે નિમિત્તે તા. ૬ એપ્રિલના ગુરુવારે રોકડીયા હનુમાનજી મંદિર ખાતે હનુમંત મહાયજ્ઞ, સમૂહ પ્રસાદ તેમજ સંઘાણી પરીવારનું સ્નેહમિલનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ ધાર્મિક કાર્યક્રમનો સમસ્ત સંઘાણી પરીવારના કુટુંબીજનોએ લાભ લેવા રોકડીયા હનુમાનજી ટ્રસ્ટ, વાઘપર દ્રારા નિમંત્રણ પાઠવ્યું છે.

- text

- text