મોરબીમાં ઉંદર મારવાની દવા પી જતા પરિણીતાનું મૃત્યુ

- text


મોરબી : મોરબી ઉમા ટાઉનશીપ નજીક ગિરિરાજ સોસાયટીમાં રહેતા પમાબા ધર્મેન્દ્રસિંહ જાડેજા ઉ.43 નામના પરિણીતાએ ગત તા.28ના રોજ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘેર ઉંદર મારવાની દવા પી લેતા પ્રથમ મોરબીની આયુષ હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે રાજકોટની દોશી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા સારવાર દરમિયાન તા.29ના રોજ મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text