મોરબીમાં પરમાર પરિવાર દ્વારા પિતૃ મોક્ષાર્થે 8 એપ્રિલથી ભાગવત સપ્તાહ

- text


મોરબી : મોરબીના કૈણકડાની વાડી, ઓમ પાર્ક સોસાયટીની બાજુમાં નાની કેનાલ રોડ ખાતે આગામી તારીખ 8 એપ્રિલ થી 14 એપ્રિલ સુધી પરમાર પરિવાર દ્વારા પિતૃઓના મોક્ષાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

- text

પિતાંબરભાઈ ભીમજીભાઈ પરમાર, ભાણજીભાઈ ભીમજીભાઈ પરમાર અને ભવાનભાઈ ભીમજીભાઈ પરમાર અને પરમાર પરિવાર દ્વારા સર્વે પિતૃઓના પુણ્ય સ્મરણાર્થે મોરબી ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરાયું છે. જેમાં 8 એપ્રિલ થી 14 એપ્રિલ સુધી સવારે 9 થી 12 અને બપોરે 3 થી 6 વાગ્યા સુધી દ્વારકાના લાંબા બંદરવાળા વક્તા શાસ્ત્રીજી મહેશભાઈ મનુભાઈ લાબડીયા વ્યાસપીઠ પર બિરાજી કથાનું રસપાન કરાવશે. આ ઉપરાંત દરરોજ બપોરે 12 કલાકે મહાપ્રસાદનું પણ આયોજન કરાયું છે. દરરોજ રાત્રે 9-30 કલાકે સંતવાણી, લોકડાયરો પણ યોજાશે. કથા દરમિયાન દરરોજ વિવિધ ધાર્મિક પ્રસંગો ઉજવાશે. તો આ કથાનો લ્હાવો લેવા સર્વેને આમંત્રણ પાઠવાયું છે.

- text