મોરબીની રોલાની વાડી ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહની આવતીકાલે બુધવારે પૂર્ણાહૂતિ

- text


મોરબી : મોરબીના નવલખી રોડ પર રોકડીયા હનુમાનજી મંદિરની બાજુમાં આવેલી રોલાની વાડી ખાતે વૃંદાવન ધામમાં સમસ્ત પરમાર પરિવારના પિતૃઓના મોક્ષાર્થે પરિવાર કલ્યાણાર્થે સંસારની અટપટી માયાજાળમાંથી શાંતિ તરફ પ્રયાણ કરવા તેમજ આત્મખોજી મુમુક્ષોની દિવ્ય ચેતનાને ચેતનવંતી બનાવનાર મોક્ષમાર્ગીય શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો પ્રારંભ 23 માર્ચના રોજ થયો હતો ત્યારે આવતીકાલે 29 માર્ચ ને બુધવારના રોજ કથાની પૂર્ણાહૂતિ થશે.

ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ કથામાં શાસ્ત્રી કિશોર મહારાજ પોતાની સંગીતમય શૈલીમાં કથાનું શ્રવણ કરાવી રહ્યા છે. આ કથાના દાતા અને આયોજક શિવાભાઈ ઘેલાભાઈ પરમાર અને મનજીભાઈ ધનજીભાઈ પરમાર છે. દરરોજ હજારો ભાવિક ભક્તજનો કથા શ્રવણનો લાભ લઈ ધન્યતા અનુભવી રહ્યા છે. કથા દરમ્યાન કપિલ જન્મ, વામન અવતાર, કૃષ્ણ જન્મ, ગિરિરાજ અનકુટ, રૂક્ષમણી વિવાહ, સુદામા ચરિત્ર જેવા પાવન પ્રસંગો વાજતે ગાજતે પરંપરાગત શૈલીમાં ઉજવાઈ રહ્યા છે. દરરોજ રાત્રે સંતો દ્વારા સંતવાણી અને લોક સાહિત્યનું પણ અદકેરું આયોજન થયું છે. ત્યારે આ કથાનો લ્હાવો લેવા સર્વેને આમંત્રણ અપાયું છે.

- text

- text