1 એપ્રિલે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) અંગે મોરબીના સાર્થક વિદ્યામંદિરમાં સેમિનાર યોજાશે

- text


મોરબી : મોરબીના સાર્થક વિદ્યામંદિર ખાતે 1 એપ્રિલના રોજ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) અંગે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે.

NBG (નર્મદા બાલઘર) અને સાર્થક વિદ્યામંદિરના સંયુક્ત ઉપક્રમે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ- રોજિંદા જીવન અને કામ પર તેની અસર વિષય પર 1 એપ્રિલના રોજ સવારે 8 થી 9 કલાકે સાર્થક વિદ્યામંદિર ખાતે સેમિનારનું આયોજન કરાયું છે. (AI) આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની ભવિષ્યમાં થનાર અસરો વિશે જાણવામાં રુચિ ધરાવતા લોકોને આ સેમિનારમાં હાજરી આપવા આમંત્રણ પાઠવાયું છે.

- text

- text