4 એપ્રિલે મોરબીમાં સંત દેશળ ભગતનો 95મો નિર્વાણ દિન મહોત્સવ ઉજવાશે

- text


મોરબી : મોરબીમાં આગામી તારીખ 4 એપ્રિલના રોજ સંત દેશળ ભગતના 95મા નિર્વાણ દિન મહોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવશે.

ખવાસ (રજપૂત) જ્ઞાતિ ટ્રસ્ટી મંડળ, મહિલા મંડળ અને યુવક મંડળ દ્વારા 4 એપ્રિલ ને મંગળવારના રોજ મોરબીના ઝૂલતા પુલ પાસે મહેન્દ્ર ડ્રાઈવ પાસેના દેશળદેવ હોલ ખાતે નિર્વાણ દિન મહોત્સવનું આયોજન કરાયું છે. જેમાં બપોરે 11 થી 12 વાગ્યા સુધી બહેનો તથા બાળકો માટે મહાપ્રસાદ યોજાશે અને ભાઈઓ માટે બપોરે 12-30 કલાકે મહાપ્રસાદનું આયોજન કરાયું છે. સાથે જ આ કાર્યક્રમ હોવાથી ટ્રાફિક ન સર્જાય તે માટે મહેન્દ્ર ડ્રાઈવ રોડ ઝૂલતા પુલ પાસે તારીખ 3 એપ્રિલ ને સાંજથી 4 એપ્રિલ સાંજ સુધી કોઈએ કાર પાર્ક ન કરવા સમાજના પ્રમુખે અપીલ કરી છે. આ કાર્યક્રમ ખવાસ (રજપૂત) સમાજ પૂરતો મર્યાદિત છે.

- text

- text