હળવદના માનસર ગામે તલાવડીમા ડૂબી જતાં શ્રમિક યુવાનનું મોત

- text


મોરબી : હળવદ તાલુકાના માનસર ગામે બળદેવભાઈ લાલજીભાઈ રાઠોડની વાડીએ રહી ખેતમજૂરી કરતા આહવા ડાંગ જિલ્લાના વતની સુનિલભાઈ ગણપતભાઈ ગાંગોડ ઉ.35 ગામની તલાવડીએ ગયા બાદ કોઈપણ કારણોસર તલાવડીમાં ડૂબી જતાં મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text