માળીયાના સોનગઢ ગામે 31 માર્ચથી ભાગવત સપ્તાહ યોજાશે

- text


માળીયા : તાલુકાના સોનગઢ ગામે આગામી તારીખ 31 માર્ચ ને શુક્રવારથી 6 એપ્રિલ ને ગુરુવાર સુધી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

સોનગઢ ગામે તારીખ 31 માર્ચથી 6 એપ્રિલ સુધી યોજાનાર આ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં વ્યાસપીઠ પર અંબાધામ દુધઈવાળા હરિપાદરેણુ સિદ્ધાર્થ મહારાજ અને સાધ્વી અનસુયાદેવીજી બીરાજીને સવારે 8 થી 11-30 અને બપોરે 3 થી 6 વાગ્યા સુધી સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવશે. સાથે જ નાનુ મહેતા વેદ વિધાન પ્રમાણે પૂજન વિધિ કરાવશે. કથા દરમિયાન દરરોજ વિવિધ ધાર્મિક પ્રસંગો યોજાશે. 3 એપ્રિલના રોજ રાસ ગરબા યોજાશે જેમાં કલાકાર તરીકે વિજયભાઈ આહીર ઉપસ્થિત રહેશે. 4 એપ્રિલના રોજ ભવ્ય સંતવાણીનું આયોજન કરાયું છે. જેમાં કલાકાર મનહરદાન ગઢવી (ભજનીક) અને લોકસાહિત્યકાર લાખણસીભાઈ ગઢવી હાજરી આપશે. કથા સાંભળવા આવતા ભાવિકો માટે દરરોજ બપોરે અને સાંજે મહાપ્રસાદની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

- text

- text