મોરબીના ખોખરા હનુમાનજી રોડ ઉપર આઇસર હડફેટે બાઈક ચાલકનું મૃત્યુ

- text


મોરબી : મોરબીના બેલા નજીક આવેલ ખોખરા હનુમાનજી મંદિર રોડ ઉપર અજાણ્યા આઇસર ટ્રકના ચાલકે બાઈક ઉપર જઈ રહેલા મૂળ રાજસ્થાનના વતની નરેન્દ્રસિંહ ઉર્ફે વિક્રમભાઈ લાલસિંહ ચૌહાણને હડફેટે લઇ ઇજાઓ પહોંચાડતા નરેન્દ્રભાઈનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માત સર્જી આઇસર ચાલક નાસી જતા આ બનાવ અંગે કૂપસિંહ ડુંગરસિંહ ચૌહાણે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

- text

- text