એ ચીપટી આવી ગઈ….સુરવદર -ધુળકોટ રૂટ ઉપર ભંગાર બસ દોડાવાતા મુસાફરો હેરાન

- text


એસટી બસમાં બેઠા બાદ કટાયેલા પતરા લાગે તો ધનુર ઉપડે તેવી સ્થિતિ : તૂટેલી – ફૂટેલી સીટ વાળી બસમાં બેસવું ક્યાં તે સવાલ

મોરબી : મૂસાફરો માટે ભંગાર અને તૂટેલી ફૂટેલી બસ દોડાવતા મોરબી એસટી ડેપો દ્વારા આજે સવારમાં વનેચંદના વરઘોડામાં પણ ન ચાલે તેવી બસ સુરવદર – ધુળકોટ રૂટ ઉપર મુકવામાં આવતા અનેક મુસાફરોને ચીપટી આવી જતા બોકાસો બોલી ગયો હતો સાથે જ બસના કટાયેલા પતરાએ અનેક મુસાફરોના કપડાં બગાડી નાખતા દેકારો બોલી ગયો હતો.

મોરબી એસટી ડેપો પાસે એકથી એક ચડિયાતી એન્ટિક ભંગાર બસનો ખજાનો ભર્યો હોય છાસવારે ભંગારીયા તંત્રની બસને મુસાફરો પાસે ધક્કા મરવવાના બનાવ કે અધવચ્ચે બસ ખોટકાઈ જવાના બનાવો રોજિંદા બન્યા છે ત્યારે આજે સવારે સુરવદર – ધુળકોટ રૂટ ઉપર તૂટેલી સીટ, સળિયા દેખાઈ તેવી બસની આરામ દાયક બેક સાઈડ, બસની અંદર ઠેક ઠેકાણે કટાઈ ગયેલ પતરા અને ઢગલો એક ધૂળ તો મુસાફરોને છીંક ખાવા માટે ભેટમાં આપવામાં આવે તેવી વનેચંદના વરઘોડા જેવી બસ મુકવામાં આવતા મને કે મને મુસાફરી કરી મોરબી પહોંચેલા લોકોને રીતસર યાતના ભોગવવી પડી હતી.

- text

- text