મહેન્દ્રપુરથી નાના ખીજડીયાનો રોડ વહેલી તકે બનાવવા તા.પં.ના વિપક્ષ નેતાની માંગ

- text


 

ટંકારા : મહેન્દ્રપુરથી નાના ખીજડીયાને જોડતો માર્ગ બિસ્માર હાલતમાં છે. જેને વહેલી તકે બનાવામાં આવે એવી તાલુકા પંચાયત વિપક્ષ નેતા વિપુલ કુંડારિયાએ કરી છે.

- text

તેઓએ જણાવ્યું છે કે આ માર્ગ આજુબાજુના ૬ ગામડાને તાલુકા સાથે જોડે છે. ખાસ તો અહીં નાળા પુલિયા બનાવવા પડે એમ છે. કારણ કે ચોમાસા દરમ્યાન અહીંના પુલ ઉપરથી પસાર થઈ શકાતુ નથી. કોઈ બીમાર હોઈ તો ટંકારા પહોંચવામાં ખુબ જ મુશ્કેલી પડી રહી છે. તો આ માર્ગ અને તેમાં આવતા બધા નાલા પુલીયા વહેલી તકે બનાવામાં આવે એવી માંગણી છે.

- text