સો-ઓરડી ખાતે ભાગવત સપ્તાહમાં કથા શ્રવણ અર્થે હાજરી આપતા ધારાસભ્ય

- text


 

મોરબી: સો-ઓરડી વિસ્તારમાં આયોજીત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં આજરોજ મોરબી માળિયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ હાજરી આપી હતી અને કથા શ્રવણનો લ્હાવો લીધો હતો.

સો-ઓરડી વિસ્તારમાં કથાનું ભવ્ય અને દિવ્ય આયોજન કરાયું છે. ગુજરાત સૌરાષ્ટ્રના સુપ્રસિધ્ધ વક્તા ભાગવત આચાર્ય શાસ્ત્રીજી અમિતભાઈ પંડ્યા કથાનું શ્રાવણ કરાવી રહ્યા છે. કથાની આવતીકાલે 5 માર્ચના રોજ પૂર્ણાહુતિ થશે. મોરબી ઝુલતા પુલ દુર્ઘટનામાં મુત્યુ પામેલા મુતાત્માઓને શ્રધ્ધાંજલિ અર્પણ કરવા માટે પરમ કૃપાળુ પરમાત્મા તેમની આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના સમસ્ત સો-ઓરડીના રહેવાસીઓ દ્વારા ભવ્ય શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં કરવામાં આવી હતી. ત્યારે આજરોજ 4 માર્ચે મોરબી માળીયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ કથામાં હાજરી આપી હતી.

- text

- text