જુના દેવળિયા કુમાર શાળામાં નિબંધ લેખન સ્પર્ધા યોજાઈ

- text


શાળાના ધો. ૬ થી ૮ના ૮૫ વિદ્યાર્થીઓએ ભાગ લીધો

મોરબી: જુના દેવળીયા કુમાર પે સેન્ટર શાળામાં નિબંધ લેખન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળામાં અભ્યાસ કરતાં ધોરણ ૬ થી ૮ નાં ૮૫ બાળકોએ ખુબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. દરેક બાળકે આ સ્પર્ધામાં ખુબ જ સુંદર અક્ષરે લેખન કર્યું હતું. આ સ્પર્ધા ને અંતે હિતમ્ ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી સાગર રવિચંદ જેસ્વાણી , ડૉ. હાર્દિક રવિચંદ જેસ્વાણી , પ્રમુખ N.I.M.A., મોરબી , મહેશ્વરી હોસ્પિટલ, તરફથી ઇનામો આપી બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતા. આ સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવવા માટે શાળા નાં આચાર્ય સાગરભાઇ મહેતા તેમજ સ્ટાફ મિત્રોએ જહેમત ઉઠાવી હતી.

- text

- text