મોરબીમાં 2જી માર્ચે ચાંદલીયાવાળા મામાદેવનો નવરંગો માંડવો યોજાશે

- text


મોરબીઃ મોરબીના ઘુંટુ – હળવદ રોડ પર આવેલા રામકો વિલેઝ સોસાયટી ખાતે આગામી તારીખ 2 માર્ચના રોજ ચાંદલીયાવાલા મામાદેવનો નવરંગો માંડવો યોજાશે.

ચાંદલીયાવાળા મામાદેવ ગ્રુપ દ્વારા તારીખ 2 માર્ચ ને ગુરુવારના રોજ રામકો વિલેઝ (ઘુંટુ) ખાતે યોજાનારા ચાંદલીયાવાળા મામાદેવના નવરંગા માંડવામાં મામાદેવના ભુવા યુવરાજસિંહ રાઠોડ અને પુજારી મુનાભાઈ વ્યાસ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત રાત્રે 9 કલાકે યોજાનાર ડાક ડમરુના કાર્યક્રમમાં રાવળદેવ ભાવેશભાઈ ગજ્જર (સુરેન્દ્રનગર), સાગરભાઈ માલણીયાત (મોરબી), કાથળભાઈ (મેંગણી), મિલનભાઈ (મેંગણી), દેવાભાઈ મેવાળા (મોરબી), ભરતભાઈ (માથકવાળા), જીતુભાઈ પેથાણી (ઘુંટુ), લાલાભાઈ (મોરબી) અને ગાયક ભાવનાબેન પટેલ (વાગળ,કચ્છ, પદમપર) હાજરી આપશે. આ ઉપરાંત પંચના ભુવા પણ આ તકે હાજરી આપશે.

- text

- text