ધનશ્યામપુરમાં કલાકાર જયંત દવેના પુત્રના યજ્ઞોપવિત નિમિત્તે 10મીએ લોકડાયરો

- text


મોરબી: ગુજરાતના સુપ્રસિદ્ધ કલાકાર જયંતભાઈ દવેના પુત્ર રામદેવના યજ્ઞોપવિત સંસ્કારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જે નિમિત્તે તા. ૧૦ માર્ચના રાત્રે ૯ કલાકે દિવાનમાનસિંહજી માન ભુવન, દરબારગઢ, ધનશ્યામપુર ગામે લોકડાયરાનો કાર્યક્રમ યોજાશે.

જેમાં ભજનીક લક્ષ્મણબાપુ બારોટ, ભજનીક કિર્તીદાન ગઢવી, હાસ્ય કલાકાર સાંઈરામ દવે, હાસ્ય કલાકાર હકાભા ગઢવી, હાસ્ય કલાકાર ડો. જગદીશ ત્રિવેદી, લોકસાહિત્યકાર બ્રિજરાજદાન ગઢવી, ભુવાજી ગમન સંથાલ, લોકગાયક જીજ્ઞેશ કવિરાજ, લોકગાયિકા ઉર્વશીબેન રાદડીયા, લોકગાયિકા અલ્પાબેન પટેલ, લોકગાયિકા અપેક્ષાબેન પંડ્યા તેમજ ઉસ્તાદ જીતુ બગડા એન્ડ ગૃપ ઉપસ્થિત રહી પોતાની આગવી કલાથી લોકોને મનોરંજન પૂરું પાડશે. આ કાર્યક્રમનો ધનશ્યામપુર તેમજ આસપાસની જનતાને લાભ લેવા જયમંતભાઈ રાજેન્દ્રભાઈ દવે તેમજ રિધ્ધિબેન જયમંતભાઈ દવેએ નિમંત્રણ પાઠવ્યું છે.

- text

- text