મોરબી માધાપરવાડી શાળામાં સ્વજનોના સ્મરણાર્થે ઘડિયાળો અર્પણ કરાઈ

- text


મોરબી : મોરબીમાં લોકો સ્વજનોના અવસાન નિમિત્તે તેઓના આત્માના કલ્યાણાર્થે જરૂરિયાતમંદોને મદદરૂપ થવું ગાયોને નિરણ નાખવી, પક્ષીઓને ચણ નાખવી, નાના બાળકોને ભોજન આપવું, વગેરે જેવી દાનની પ્રવૃત્તિઓ કરતા હોય છે ત્યારે મોરબીના માધાપરવાડી વિસ્તારના નકુમ પરિવારે માધાપરવાડી શાળામાં ઘડિયાળ અર્પણ કરી છે.

નકુમ પરિવારના નીતાબેન ભરતભાઈ નકુમનું અવસાન થતાં તેઓની સ્મૃતિમાં બાબુલાલ નકુમ, મલાભાઈ નકુમ, દિનેશભાઈ નકુમ, હાર્દિકભાઈ નકુમ, ભાવિનભાઈ નકુમ, પ્રભુભાઈ કંઝરિયા સર્વે પરિવારજનોએ માધાપરવાડી કુમાર અને કન્યા બંને શાળામાં દરેક રૂમ અને લોબી માટે પચીસ જેટલી દિવાલ ઘડિયાળ અર્પણ કરી સ્તુત્ય પગલું ભર્યું છે. નકુમ પરિવારનો આ તકે બંને શાળા પરિવારે આભાર પ્રકટ કર્યો હતો અને દિવંગત આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી શ્રદ્ધાંજલિ અર્પી હતી.

- text

- text