મોરબીના પાટીદારધામ દ્વારા ત્રિવિધ સન્માન સમારંભ યોજાશે

- text


મોરબી : ભોજન,ભજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ એટલે શિવરાત્રી, આવતીકાલે શિવરાત્રીના શુભ અવસરે જીપીએસસી, તેમજ અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે ચાલતા પાટીદારધામ મોરબી દ્વારા ત્રિવિધ સન્માન સમારંભનું આયોજન પટેલ સમાજ વાડી શકત શનાળા ખાતે કરેલ છે.

ત્રિવિધ સન્માન સમારંભમાં ધોરણ દશ અને બારના અને જીપીએસસીમાં ઉત્તીર્ણ થયેલ તેજસ્વી તરલાઓનું સન્માન, તેમજ પાટીદાર સમાજના સેવાકીય ટ્રષ્ટોના સેવકોનું સન્માન, દાતાઓનું સન્માન તેમજ સમાજના અગ્રણીઓ દ્વારા સમાજ અને વિદ્યાર્થીઓના ઉત્થાન અને જીપીએસસી આઈએએસ જેવી પરીક્ષાઓમાં વધુમાં વધુ જોડાઈને સરકારના બ્યુરોક્રેસીમા સામેલ થવા અંગે માર્ગદર્શન આપવામાં આવશે એમ પાટીદારધામના પ્રમુખ કિરીટભાઈ દેકાવડીયાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

- text

- text