મહર્ષિ દયાનંદ ટ્રસ્ટ આયોજિત વોલીબોલ ટુર્નામેન્ટમાં બગથળાની ટિમ બની ચેમ્પિયન

- text


ટંકારા : ટંકારામાં શ્રી મહર્ષિ દયાનંદ સરસ્વતી સ્મારક ટ્રસ્ટ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી જન્મ જયંતિ પર રાત્રી પ્રકાશ વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે. આ વખતે બે વર્ષના વિરામ બાદ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ હતું.

જેમાં વિવિધ ગામોની 12 ટિમો ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ટુર્નામેન્ટને અંતે બગથળા ગામની ટીમ ચેમ્પિયન બની હતી. જ્યારે ટંકારાની ટિમ રનર્સ અપ બની હતી.

આ ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે દીપકભાઈ વ્યાસ, ગજેન્દ્ર કારેલીયા, દેવકુમાર પડસુંબિયા, સંજયભાઈ ચારોલા અને તેની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી. કાંતિલાલ હાલપરા, અલ્પેશભાઈ ભાલોડિયા અને વિજયભાઈ ભાલોડિયાએ રેફરી તરીકે સેવા આપેલ હતી. ટુર્નામેન્ટનું ઓપનિંગ રામદેવજી શાસ્ત્રીએ કરેલ હતું.

- text

- text